Tuesday, 15 January 2013

જય કેયડાવાળી મેલડીમાં, વલાસણ

જય કેયડાવાળી મેલડીમાં, ગુજરાત રાજ્ય નાં આણંદ જીલ્લો અને તાલુકામાં આવેલ વિકસિત ગામ વલાસણમાં સુપ્રસિદ્વ મંદિર આવેલું છે. જ્યાં ચરોતરનાં દરેક જ્ઞાતિના લોકો માતાજીનાં દર્શન કરીને આણંદ અનુભવે છે. માં મેલડીની મમતાથી આજે વિશ્ર્વના દરેક ખુણાંમાં વલાસણના વ્યક્તિઓ વસે છે. આ ગામમાં સ્વામી-નારાયણ ભગવાન તથા પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે પણ વિચરણ કરીને દરેક હરિભક્તને સુખિયા કર્યા છે. 

આજથી ઘણા વરસો પહેલાની વાત છે, દશેરાના દિવસે માતાજી જવારા  વળાવવા જ્યારે લોકો ગામમાં જતા ત્યારે આજુ બાજુ ઉગેલા બાબળ તથા અન્ય કાંટાવાળી વનસ્પતિના કાંટા કોઈના પગમાં વાગતા તથા કોઈના હાથમાં વાગતા ત્યારે માતાજીએ આ દિવસે ગામના લોકો ને વચન આપ્યું હતું કે આ ગામને હું નગરી બનાવી દઈશ. 

વલાસણ ગામમાં આજે World famous Swaminarayan University તથા Shivam Technical Education Campus, Valasan આવેલુ છે જેમાં B.Pharmacy, M.Pharmacy(Quality Assurance) and (Clinical Pharmacy), MBA, MCA જેવા અભ્યાસક્રમો ચાલે છે જેની માન્યતા AICTE, New Delhi and Gujarat Technological University, Ahmadabad , તથા  BCA, B.Com[Eng. Medi] (Affiliated To Sardar Patel University), 11th-12th Science Stream[અંગ્રેજી માધ્યમ] અને [ગુજરાતી માધ્યમ] ચાલે છે. વલાસણ ગામમાં આવેલ સરકારી સ્કુલમાંથી 7 Sports Captain નું Selection ગુજરાત રાજ્યમાં થયેલ છે જેમનું સન્માન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ન મોદી દ્રારા કરવામાં આવ્યુ હતું.

આશરે આણંદ રેલ્વે સ્ટેશન તથા વિટકોસ બસ-સ્ટેન્ડથી 12 કિ.મી. દૂર ચરોતરનું સુપ્રસિદ્વ યાત્રાધામ આવેલું છે

માં મેલડી તમારી મનોકામના પૂરી કરે....

જય કેયડાવાળી મેલડીમાં, વલાસણ.



No comments:

Post a Comment